પત્થર ને ઈશ્વર માને છે લોકો.
જીવતા માણસ ને ઠોકર મારે છે લોકો.
મૃતકો ની કબરો પર બાળી "ઘી" ના દીવા,
મુફલીસો ને ભૂખે મારે છે લોકો.
જગત ના સ્વાર્થ વિશે હુ શુ કહુ,
મળે ખરીદદાર તો લાશ વેચે છે લોકો.
એ તો ઇશ્વર ની ગરજ છે એટલે જ,
બાકી કોઇને ક્યા નમે છે લોકો.
સારૂ છે! એતો લગામ છે એના હાથમા,
બાકી એનેય પછાળે એવા છે લોકો.
- કિરણભાઈ આર. પંચાલ
"આકાશ"
No comments:
Post a Comment